સોમવાર, નવેમ્બર 30, 2009

હું સાંભળું છું...ચાર્લ્સ રોપેર ..(પુસ્તક --ગ્લોબલ વાર્મિંગ માંથી )

હું સાંભળું છું............

હું વૃક્ષો ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"માથું "ઊંચું" રાખો, ફળવંત બનો,
--એકલા રહો કે સંગાથ માં રહો,
સમય સાથે તમારો "વિકાસ" થશે જ".

હું સૂર્ય ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--બીજાને તમારી હુંફ નો અનુભવ કરવા દો,
--કોઈ અપેક્ષા વિના કાર્ય કરતા રહો,
--તમારી જાત સોપી દો .

હું પર્વતોને , સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"જ્યાં છો ત્યાં રહો,પ્રમાણિક માણસ બનો,
--તમે જે કરવાનું કહો છો તેમાં,
--અડીખમ રહી મક્કમતા થી કરો".

હું પંખીઓ ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"તમારી જાત ને કોઈ પણ
--વળગણ માંથી મુક્તિ બક્ષો,
--ખુબ ઉંચે સુધી ઉડો,અને ગીતો ગાઓ,

હું વાદળો ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"સર્જનાત્મક બનો,અભિવ્યક્ત થાઓ,
--હળવા અને આનંદિત બનો,
--રડવાનું મન થાય તો રડો."

હું આકાશ ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"ખુલ્લા રહો,
--સરહદો ને જતી કરો,"અમર્યાદિત બનો"
--અનુભવો બદલાતા રહે છે,તો અમાપ બનો

હું ફૂલોને અને નાના છોડવાઓને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--નમ્ર બનો, સરળ બનો,
--"સર્વ-સંપૂર્ણ" નો આગ્રહ છોડો,
--તમે જેમ છો,તેમ તમારી જાત ને સ્વીકારી ને ,
--તમારી જાત પર પ્રેમ રાખો.

હું ચંદ્ર ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--પ્રેમ ને રોમાંચક બનાવો, સ્પર્શ કરો,
--નિર્મળ વ્હાલ કરો,
--જીવનની "વધ-ઘટ" ને પણ માણો,

હું તારલાઓ ને સાંભળું છું અને.તેઓ પલકારો મારીને મને કહે છે,
--"રમો ,નાચો ,ને લ્હેર કરો ,
--જયારે "જરૂર" પડે ત્યારે,
--તરત જ તમારી "પોતાની" રોશની ફેલાવો,

હું ધરતી ને સાંભળું છું અને તે મને કહે છે,
--"હું તમારી માતા છું,
--તમારી ચારે બાજુ જે છે, તે બધાને આદર આપો,
--કારણ, "આપણે સૌ એક જ છીએ".
--તમે બધા બાળકો મારા છાતીસરસા જ છો,
--અને મને પણ તમારી સાથે "માનભેર " રાખજો.

જયારે.....
તમે મારી પાસે થાકીને પરત આવશો,ત્યારે હું તમને આવકારીશ.
અને તમારા "આત્મા " ને મુક્ત કરીશ


શુક્રવાર, નવેમ્બર 20, 2009

ગુજરાતનાં અભયારણ્યો

સિંહનું અભયારણ્ય

ગિર સિંહનું અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.





બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.





ઘુડખર અભયારણ્ય

સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ

નળસરોવર પક્ષી અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.





રીંછનાં અભયારણ્યો

રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ







જેસોર : રીંછ અભયારણ્ય
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
વાંસદા : રાષ્‍ટ્રીય ઉદ્યાન
સ્‍થળ : વલસાડ જિલ્‍લો, બીલીમોરાથી 40 કિ. મી. ના વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વાઘ, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા : જાહેર બાંધકામ ખાતા અને પંચાયતનાં વિશ્રામગૃહો પણ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : બીલીમોરા.

હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

 






  



 


સૌજન્ય- ગુર્જરી.નેટ


 

સોમવાર, નવેમ્બર 16, 2009

પશુપક્ષીઓ પ્રતિ દયા રાખવી

_____________________________________________________


પશુપક્ષીઓ પ્રત્યે દયા રાખવી એ જ મોટામાં મોટો ધર્મ છે


-શ્રી ક્રિષ્ણ ભગવાન


_______________________________________


બધા જ જીવોને મિત્રતાની દ્વષ્ટીએ જુવો.


-યજુર્વેદ


_______________________________________


પ્રત્યેક પ્રાણી સુખ જ ઈચ્છે છે,


તેથી બધાને મમતા પ્રદાન કરો.


-ગૌતમ બુદ્ધ


_______________________________________


સમસ્ત બ્રહ્માંડના દરેક જીવો પ્રત્યે મિત્ર ભાવ રાખવો,


એ જ ઊંચો ધર્મ છે.અર્થાત પ્રત્યેક જીવને


પોતાના સમાન જ સમજો.


-ગુરુ નાનક


________________________________________


ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે


દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.


-મોહમ્મદ સાહેબ


________________________________________


સુખમાં કે કષ્ટમાં,આનંદમાં કે મોક્ષમાં,


દરેક પ્રાણી પ્રત્યે એ જ ભાવ રાખો ,


જે તમે પોતાના પ્રત્યે રાખો છો.


-ભગવાન મહાવીર


_________________________________________


ભગવાન બધા જીવો પ્રત્યે દયાળુ છે,અને


તેમની પ્રેમવર્ષા તેમના દરેકે દરેક પ્રાણી પ્રત્યે હોય છે


-પ્રભુ ઈસુ


_____________________________________________