સોમવાર, ફેબ્રુઆરી 22, 2010
વાઘથી પણ પહેલા વિલુપ્ત થઈ શકે છે સફેદ શાર્ક…
આજે ભારતમાં લુપ્ત થતા વાઘોને બચાવા માટે જનચેતના માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે.મોબાઈલ થી માંડીને ટી.વી,બ્લોગ દ્વારા પ્રયાશો થઈ રહ્યા છે.આજે ભારતમાં માત્ર ૧૪૧૧ વાઘ બચ્યા છે અને દુનિયામાં વાઘોની સંખ્યા લગાતાર ઘટતી જાય છે.જો આવુ જ ચાલતુ રહ્યુ તો આવનાર દશક સુધીમાં વાઘ આ ધરતી પરથી વિલુપ્ત થઈ જાશે.
પણ આજે માત્ર વાઘ જ નથી કે જેના પર લુપ્ત થવાનો ખતરો છે.મરીન લાઈફના કેટલાક આંકડાઓ મુજબ વાઘ જેવી જ હાલત સફેદ શાર્કની છે અને તેના વિલુપ્ત થવાનો ખતરો વાઘથી પણ વધારે છે.
કેનેડાના વિષેશજ્ઞ ડૉ. રનાલ્ડ ઓડોર ના કહેવા અનુશાર -આજ સુધી લોકો વિચારતા હતા કે શાર્કથી તો મનુષ્યને ખતરો છે એટલે તેમને સફેદ શાર્કને બચાવાની કોઈ ઈચ્છા ન’હોતી.પણ હવે લોકો સમજે છે કે સફેદ શાર્કને પણ જીવવાનો પૂર્ણ અધિકાર છે એટલે આપણે તેને બચાવી જોઈએ..
ઓસ્ટ્રેલિયામાં સફેદ શાર્કના સંરક્ષણ માટેના પ્રયાશો ચાલુ છે.તેના માટે ત્યાંના સમુદ્રી વિસ્તારોમાં સફેદ શાર્કની ઉપર ટેગ લગાવામાં આવી રહ્યા છે.દરેક દરીયા કિનારાઓ પર કેટલાક રિસિવર લગાવામાં આવ્યા છે.જેથી જ્યારે પણ કોઈ શાર્ક કિનારા પાસે આવી જાય ત્યારે તે રિસિવર સ્વસંચાલિત રીતે નજીકના ઈન્ચાર્જને જાણકારી આપી દે છે.જેથી સમય રહેતા જ તે સફેદ શાર્કને ફરી ઊંડાણવાળા પાણીમાં ધકેલી દેવામાં આવે.
એવા ઘણા પ્રાણીઓ છે કે જે આજે માત્ર ચિત્રોમાં અથવા પ્રાચિન દસ્તાવેજોના પનાઓમાં જ રહ્યા છે.તેમના વિલુપ્ત થવા પાછળ પ્રકૃતિક કારણો તો છે જ ,પણ મનુષ્ય ઘણા અંશે જવાબદાર છે.હવે સમય છે કે મનુષ્ય પોતાની ભુલો પણ પછતાવો પ્રગટ કરે અને બાકી બચેલા વન્યજીવોનું સંરક્ષણ કરે.જે વન્યજીવો વિલુપ્ત થવાના આરે છે તેવા જીવોના રક્ષણ જવાબદારી ઉઠાવે…
શનિવાર, જાન્યુઆરી 23, 2010
ઉત્તરાયણમાં ઘાયલ થયેલા એક કબુતરી આત્મકથા
મંદિરીયાના શિખર પરના એક બખોલમાં,
શિયાળાની શિતળ પરોઢે મારો જન્મ થયો,
જન્મની સાથે જ મને આ દુનિયા જોવાની ઈચ્છા હતી,
બે દિવસ પછી આંખો ખુલી અને જોઈ આ દુનિયા,
જોયુ કે ,ભગવાને તો મને તેમના શિખર પર આશરો આપ્યો હતો,
બખોલ્યામાં બેઠુ બેઠુ ઉત્સાહમાં જ વિચારતુ હતુ કે,
ક્યાંરે પાંખો આવે ? અને વાંદળોની હારમાળાને ચુંબન કરી લવ,
દિવસો વિતવાને ક્યાં વાર હતી ?
પાંખો આવી અને ઉડવાની પ્રથમ કોશિશ કરી,
જેમ તેમ ઉડ્યન કર્યા બાદ,ફરી બખોલમાં આવીને બેસી જાવ,
ધીમે ધીમે ઉડતા પણ આવડી ગયુ,
મંદિરના આગણે દરોજ સવારે શ્રદ્ધાળુઓ આવે, અને
બાજરા-જુવારના દાણા પિરસતા જાય,
અમે બધા જ તેમના મહેમાન બનીને ,
તેમના યજમાનપણનું સ્વાગત કરીયે,
બપોરે ક્યારેક બખોલમાં આરામ કરીયે,
તો ક્યાંરેક કોઈકની મેળીએ ઘુટર-ઘુ કરીયે,
ધરતી થી આકશની વચ્ચે જ મારો દિવસ પસાર થતો,
સાંજ થતાં જ હું મારી બખોલમાં પાછુ ફરતુ,
અને રાત્રીના સન્નાટામાં શાંતિની નિદ્રા માણતુ,
આ જ મારો નિત્યક્રમ બની ગયો હતો,
કાળચક્રએ મારા જીવનમાં એવુ ચક્ર ફરાવ્યુ કે,
મારુ જીવન ધરતી પુરતુ મર્યાદિત રહી ગયુ,
મારા ખુલ્લા આકાશને કાગળના ઘનુષ્ય અને દોરીના તીરેથી સજાવ્યુ,
જ્યાં જાવ ત્યાં કાળા માથાળો મનુષ્ય નજરે પડે,
એક જગ્યાથી બીજી જગ્યા ,ફાફા મારતુ મારતુ ,અંતે ધરતી પર પડ્યુ,
પંતગરૂપી ધનુષ્ય અને તિક્ષ્ણ ધાર વાળી દોરીરૂપી તીરે ,
મારી કોમળ પાંખોને વિંધી નાખી,
કાળા માથાળા મનુષ્યે મારા જીવને શ્રાપ બનાવી નાખ્યુ,
જે મનુષ્ય મારા માટે ચણ નાખવા આવતો,તે જ કાળ બની ગયો,
એક પક્ષી પ્રેમીએ મારી સારવાર કરી ,અને
જીવના આથમતા સુર્યમાં રોશનીનુ એક કિરણ નાખ્યુ,
વિશાળ આકાશ મારા માટે એક ખ્વાબ સમુ બની રહ્યુ ,
એક પ્રાથના કરુ છુ મનુષ્ય તને,
હે મનુષ્ય !મારી કથા જોયા બાદ, મને વચન આપ કે,
આજ પછી તુ કોઈ પણ પક્ષીનો કાળ નહી બને,
શિયાળાની શિતળ પરોઢે મારો જન્મ થયો,
જન્મની સાથે જ મને આ દુનિયા જોવાની ઈચ્છા હતી,
બે દિવસ પછી આંખો ખુલી અને જોઈ આ દુનિયા,
જોયુ કે ,ભગવાને તો મને તેમના શિખર પર આશરો આપ્યો હતો,
બખોલ્યામાં બેઠુ બેઠુ ઉત્સાહમાં જ વિચારતુ હતુ કે,
ક્યાંરે પાંખો આવે ? અને વાંદળોની હારમાળાને ચુંબન કરી લવ,
દિવસો વિતવાને ક્યાં વાર હતી ?
પાંખો આવી અને ઉડવાની પ્રથમ કોશિશ કરી,
જેમ તેમ ઉડ્યન કર્યા બાદ,ફરી બખોલમાં આવીને બેસી જાવ,
ધીમે ધીમે ઉડતા પણ આવડી ગયુ,
મંદિરના આગણે દરોજ સવારે શ્રદ્ધાળુઓ આવે, અને
બાજરા-જુવારના દાણા પિરસતા જાય,
અમે બધા જ તેમના મહેમાન બનીને ,
તેમના યજમાનપણનું સ્વાગત કરીયે,
બપોરે ક્યારેક બખોલમાં આરામ કરીયે,
તો ક્યાંરેક કોઈકની મેળીએ ઘુટર-ઘુ કરીયે,
ધરતી થી આકશની વચ્ચે જ મારો દિવસ પસાર થતો,
સાંજ થતાં જ હું મારી બખોલમાં પાછુ ફરતુ,
અને રાત્રીના સન્નાટામાં શાંતિની નિદ્રા માણતુ,
આ જ મારો નિત્યક્રમ બની ગયો હતો,
કાળચક્રએ મારા જીવનમાં એવુ ચક્ર ફરાવ્યુ કે,
મારુ જીવન ધરતી પુરતુ મર્યાદિત રહી ગયુ,
મારા ખુલ્લા આકાશને કાગળના ઘનુષ્ય અને દોરીના તીરેથી સજાવ્યુ,
જ્યાં જાવ ત્યાં કાળા માથાળો મનુષ્ય નજરે પડે,
એક જગ્યાથી બીજી જગ્યા ,ફાફા મારતુ મારતુ ,અંતે ધરતી પર પડ્યુ,
પંતગરૂપી ધનુષ્ય અને તિક્ષ્ણ ધાર વાળી દોરીરૂપી તીરે ,
મારી કોમળ પાંખોને વિંધી નાખી,
કાળા માથાળા મનુષ્યે મારા જીવને શ્રાપ બનાવી નાખ્યુ,
જે મનુષ્ય મારા માટે ચણ નાખવા આવતો,તે જ કાળ બની ગયો,
એક પક્ષી પ્રેમીએ મારી સારવાર કરી ,અને
જીવના આથમતા સુર્યમાં રોશનીનુ એક કિરણ નાખ્યુ,
વિશાળ આકાશ મારા માટે એક ખ્વાબ સમુ બની રહ્યુ ,
એક પ્રાથના કરુ છુ મનુષ્ય તને,
હે મનુષ્ય !મારી કથા જોયા બાદ, મને વચન આપ કે,
આજ પછી તુ કોઈ પણ પક્ષીનો કાળ નહી બને,
___________________________
- સુરત નેચર કલ્બના એક સભ્ય દ્વારા લખાયેલી આત્મકથા છે.તેમણે કાગળ પર ઉતારી અને મને બતાવી હતી.મને ખુબ ગમી અને મે બ્લોગ પર ઉતારી નાખી.
તેમણે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ કબુતરની આંખોમાં જોઈને આ આત્મકથા લખી હતી.તમે કદાચ નહી માનો પણ આત્મકથા લખતા તેમની આંખોમાં આંશુ આવી ગયા હતા.
તેમણે નામનો ઉલ્લેખ કરવાની ના પાડી છે.
મંગળવાર, જાન્યુઆરી 12, 2010
પતંગની દોરી ભલે કપાય,પણ કોઈ પક્ષીના જીવની દોરી ન કપાય તે જો જો
સર્વે મિત્રોને મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ.
ઉન્ધિયુ,તલસાકરી,લોચો,શેરડી,આલુપુરી ની મજા માણો અને આનંદથી પતંગ ઉડાવો...લપેટ..
*********************************************************************************
હવે મહત્વની વાત..કે ઉત્તરાયની મજા માણો ,પણ આ મજા પક્ષીઓ માટે સજા ન બની જાય તેનુ પણ ધ્યાન રાખો..
સુરત નેચર કલ્બ દ્વારા ઘાયલ પક્ષીઓના બચાવની કામગીરી કરવામાં આવે છે.તમે પણ અમને સહાય કરશો તેની મને પુરી ખાત્રી છે.તમારી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી નજરે આવે તો,મોટુ હૈયુ રાખીને સુરત નેચર ક્લ્બને જણાવો.તેનામાટે નીચે મુજબ ફોન નંબર છે..માત્ર તમારો એક કોલ પક્ષીઓની જીદગી બચાવી શકે છે..પતંગની દોરી ભલે કપાય,પણ કોઈ પક્ષીના જીવની દોરીન કપાય તે જો જો..
સુરત નેચરે ક્લ્બ ----
ઘાયલ પક્ષીઓની મદદ માટે આ મોબાઈલ નંબરો પર ફોન કરવો..
-99797 30036
-98254 80908
Me-99781 44421 {જો આપ રાંદેર કે અડાજણ વિસ્તારમાં છો, તો આ નંબર પર ફોન કરવો }
નોંધ -આ સંસ્થા માત્ર સુરત શહેર પુરતી મર્યાદિત છે.તેની નોધ લેવી..મજાક ખાતર ફોન કરવો નહી..
જય હિન્દ ,જય ગરવી ગુજરાત
ઉન્ધિયુ,તલસાકરી,લોચો,શેરડી,આલુપુરી ની મજા માણો અને આનંદથી પતંગ ઉડાવો...લપેટ..
*********************************************************************************
હવે મહત્વની વાત..કે ઉત્તરાયની મજા માણો ,પણ આ મજા પક્ષીઓ માટે સજા ન બની જાય તેનુ પણ ધ્યાન રાખો..
સુરત નેચર કલ્બ દ્વારા ઘાયલ પક્ષીઓના બચાવની કામગીરી કરવામાં આવે છે.તમે પણ અમને સહાય કરશો તેની મને પુરી ખાત્રી છે.તમારી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી નજરે આવે તો,મોટુ હૈયુ રાખીને સુરત નેચર ક્લ્બને જણાવો.તેનામાટે નીચે મુજબ ફોન નંબર છે..માત્ર તમારો એક કોલ પક્ષીઓની જીદગી બચાવી શકે છે..પતંગની દોરી ભલે કપાય,પણ કોઈ પક્ષીના જીવની દોરીન કપાય તે જો જો..
સુરત નેચરે ક્લ્બ ----
ઘાયલ પક્ષીઓની મદદ માટે આ મોબાઈલ નંબરો પર ફોન કરવો..
-99797 30036
-98254 80908
Me-99781 44421 {જો આપ રાંદેર કે અડાજણ વિસ્તારમાં છો, તો આ નંબર પર ફોન કરવો }
નોંધ -આ સંસ્થા માત્ર સુરત શહેર પુરતી મર્યાદિત છે.તેની નોધ લેવી..મજાક ખાતર ફોન કરવો નહી..
જય હિન્દ ,જય ગરવી ગુજરાત
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)