શનિવાર, જાન્યુઆરી 23, 2010

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા એક કબુતરી આત્મકથા



મંદિરીયાના શિખર પરના એક બખોલમાં,
શિયાળાની શિતળ પરોઢે મારો જન્મ થયો,
જન્મની સાથે જ મને આ દુનિયા જોવાની ઈચ્છા હતી,
બે દિવસ પછી આંખો ખુલી અને જોઈ આ દુનિયા,
જોયુ કે ,ભગવાને તો મને તેમના શિખર પર આશરો આપ્યો હતો,
બખોલ્યામાં બેઠુ બેઠુ ઉત્સાહમાં જ વિચારતુ હતુ કે,
ક્યાંરે પાંખો આવે ? અને વાંદળોની હારમાળાને ચુંબન કરી લવ,
દિવસો વિતવાને ક્યાં વાર હતી ?
પાંખો આવી અને ઉડવાની પ્રથમ કોશિશ કરી,
જેમ તેમ ઉડ્યન કર્યા બાદ,ફરી બખોલમાં આવીને બેસી જાવ,
ધીમે ધીમે ઉડતા પણ આવડી ગયુ,
મંદિરના આગણે દરોજ સવારે શ્રદ્ધાળુઓ આવે, અને
બાજરા-જુવારના દાણા પિરસતા જાય,
અમે બધા જ તેમના મહેમાન બનીને ,
તેમના યજમાનપણનું સ્વાગત કરીયે,
બપોરે ક્યારેક બખોલમાં આરામ કરીયે,
તો ક્યાંરેક કોઈકની મેળીએ ઘુટર-ઘુ કરીયે,
ધરતી થી આકશની વચ્ચે જ મારો દિવસ પસાર થતો,
સાંજ થતાં જ હું મારી બખોલમાં પાછુ ફરતુ,
અને રાત્રીના સન્‍નાટામાં શાંતિની નિદ્રા માણતુ,
આ જ મારો નિત્યક્રમ બની ગયો હતો,
કાળચક્રએ મારા જીવનમાં એવુ ચક્ર ફરાવ્યુ કે,
મારુ જીવન ધરતી પુરતુ મર્યાદિત રહી ગયુ,
મારા ખુલ્લા આકાશને કાગળના ઘનુષ્ય અને દોરીના તીરેથી સજાવ્યુ,
જ્યાં જાવ ત્યાં કાળા માથાળો મનુષ્ય નજરે પડે,
એક જગ્યાથી બીજી જગ્યા ,ફાફા મારતુ મારતુ ,અંતે ધરતી પર પડ્યુ,
પંતગરૂપી ધનુષ્ય અને તિક્ષ્ણ ધાર વાળી દોરીરૂપી તીરે ,
મારી કોમળ પાંખોને વિંધી નાખી,
કાળા માથાળા મનુષ્યે મારા જીવને શ્રાપ બનાવી નાખ્યુ,
જે મનુષ્ય મારા માટે ચણ નાખવા આવતો,તે જ કાળ બની ગયો,
એક પક્ષી પ્રેમીએ મારી સારવાર કરી ,અને
જીવના આથમતા સુર્યમાં રોશનીનુ એક કિરણ નાખ્યુ,
વિશાળ આકાશ મારા માટે એક ખ્વાબ સમુ બની રહ્યુ ,
એક પ્રાથના કરુ છુ મનુષ્ય તને,
હે મનુષ્ય !મારી કથા જોયા બાદ, મને વચન આપ કે,
આજ પછી તુ કોઈ પણ પક્ષીનો કાળ નહી  બને,
___________________________

- સુરત નેચર કલ્બના એક સભ્ય દ્વારા લખાયેલી આત્મકથા છે.તેમણે કાગળ પર ઉતારી અને મને બતાવી હતી.મને ખુબ ગમી અને મે બ્લોગ પર ઉતારી નાખી.
તેમણે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ કબુતરની આંખોમાં જોઈને આ આત્મકથા લખી હતી.તમે કદાચ નહી માનો પણ આત્મકથા લખતા તેમની આંખોમાં આંશુ આવી ગયા હતા.
તેમણે નામનો ઉલ્લેખ કરવાની ના પાડી છે.