શુક્રવાર, નવેમ્બર 20, 2009

ગુજરાતનાં અભયારણ્યો

સિંહનું અભયારણ્ય

ગિર સિંહનું અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.





બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.





ઘુડખર અભયારણ્ય

સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ

નળસરોવર પક્ષી અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.





રીંછનાં અભયારણ્યો

રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ







જેસોર : રીંછ અભયારણ્ય
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
વાંસદા : રાષ્‍ટ્રીય ઉદ્યાન
સ્‍થળ : વલસાડ જિલ્‍લો, બીલીમોરાથી 40 કિ. મી. ના વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વાઘ, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા : જાહેર બાંધકામ ખાતા અને પંચાયતનાં વિશ્રામગૃહો પણ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : બીલીમોરા.

હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

 






  



 


સૌજન્ય- ગુર્જરી.નેટ


 

સોમવાર, નવેમ્બર 16, 2009

પશુપક્ષીઓ પ્રતિ દયા રાખવી

_____________________________________________________


પશુપક્ષીઓ પ્રત્યે દયા રાખવી એ જ મોટામાં મોટો ધર્મ છે


-શ્રી ક્રિષ્ણ ભગવાન


_______________________________________


બધા જ જીવોને મિત્રતાની દ્વષ્ટીએ જુવો.


-યજુર્વેદ


_______________________________________


પ્રત્યેક પ્રાણી સુખ જ ઈચ્છે છે,


તેથી બધાને મમતા પ્રદાન કરો.


-ગૌતમ બુદ્ધ


_______________________________________


સમસ્ત બ્રહ્માંડના દરેક જીવો પ્રત્યે મિત્ર ભાવ રાખવો,


એ જ ઊંચો ધર્મ છે.અર્થાત પ્રત્યેક જીવને


પોતાના સમાન જ સમજો.


-ગુરુ નાનક


________________________________________


ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે


દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.


-મોહમ્મદ સાહેબ


________________________________________


સુખમાં કે કષ્ટમાં,આનંદમાં કે મોક્ષમાં,


દરેક પ્રાણી પ્રત્યે એ જ ભાવ રાખો ,


જે તમે પોતાના પ્રત્યે રાખો છો.


-ભગવાન મહાવીર


_________________________________________


ભગવાન બધા જીવો પ્રત્યે દયાળુ છે,અને


તેમની પ્રેમવર્ષા તેમના દરેકે દરેક પ્રાણી પ્રત્યે હોય છે


-પ્રભુ ઈસુ


_____________________________________________



બુધવાર, ઑક્ટોબર 28, 2009

માછલી કહે વાત ન કર પાછલી...!




આપે મોકલી ફિસ,
પાછળ પાડે ચીસ...માછલી કહે વાત ન કર પાછલી...!

જો લાગે તમને ક્દી રીસ,
તો કરશો મને મિસ...માછલી કહે વાત ન કર પાછલી...!

મેં કહ્યું મળે એક ડિસ,
તો લઉ એક પીસ...માછલી કહે વાત ન કર પાછલી...!

સાગરને ઠપકો આપીશ,
મને કહે પછી તને મળીશ...માછલી કહે વાત ન કર પાછલી...!

જો મારુ કહેલું માનીશ,
તો મોતીના ભંડાર લાવીશ...માછલી કહે વાત ન કર પાછલી...!

છોડી દે ઉપર લખેલ ડિસ ને પીસ,
નહિ તો તને કરી દઈશ ડિસમિસ...માછલી કહે વાત ન કર પાછલી...!

મેસેજ હશે તો લખીશ,
પછી જ હું તો જંપીશ...માછલી કહે વાત ન કર પાછલી...!

કિશોરે કહ્યું તું નથી લાવારિસ,
તે હું આ જગતને કહીશ...માછલી કહે વાત ન કર પાછલી...!
____________

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા શાળા,રાંદેરરોડ,સુરત-૯

સોમવાર, ઑક્ટોબર 26, 2009

"જાગ રે માનવ જાગ...! "



જાગ રે માનવ જાગ,જાગ રે માનવ જાગ,
વૃક્ષો તો આગને પણ બનાવશે બાગ...જાગ રે માનવ જાગ...!

વન તો છે.કુદરતી સંપત્તિ,
દૂર કરશે આપણી વિપત્તિ...જાગ રે માનવ જાગ...!

વૃક્ષો તો આપશે ગુંદર - લાખ,
એ તો છે.સજીવ સૃષ્ટિની પાંખ...જાગ રે માનવ જાગ...!

જંગલો છે.તો લઈશું આપણે શ્વાસ,
બીજા તો કોની પર મુકીશું વિશ્વાસ...જાગ રે માનવ જાગ...!

વૃક્ષો તો છે.આપણા આંખ,નાક,કાન
વધારશે આપણા પર્યાવરણની મુસ્કાન...જાગ રે માનવ જાગ...!

વૃક્ષો તો ઝુકીને પણ આપે ફળ,
માનવીના ઉદરને વળે છે.કળ...જાગ રે માનવ જાગ...!

વૃક્ષો તો કપાઈને પણ આપે સુગંધ,
તો ચાલો કરીએ વૃક્ષ છેદન બંધ...જાગ રે માનવ જાગ...!

વૃક્ષો તો આપશે ઔષધિ-મલમ,
કરીએ આપણે લાખો સલામ...જાગ રે માનવ જાગ...!

ન લાગવા દેશે પર્યાવરણને દાગ,
આવરણ હટાવી થઈ જા તું સજાગ...જાગ રે માનવ જાગ...!

વૃક્ષો તો ખેંચી લાવશે પાણી,
કિશોર કહે મારી છે,આકાશવાણી...જાગ રે માનવ જાગ...!




શુક્રવાર, ઑક્ટોબર 23, 2009

"ગ્લોબલ વોર્મિગ અને ગાંધીગીરી"

ગ્લોબલ વોર્મિગ સામે ગાંધીગીરીની વાત સાચી છે."માલદિવ" નામનો એક નાનકડો ટાપુ ભારતની દક્ષીણ દિશામાં છે. ગ્લોબલ વોર્મિગથી સૌથી પ્રથમ પ્રભાવિત માલદિવ જ થાશે.
પૃથ્વીની આસપાસ ઓઝોનવાયુનુ સ્તર આવેલુ છે.જે સુર્યના પરજાંબલી કિરણોને સીધા પૃથ્વી પર આવતા રોકે છે.પારજાંબલી કિરણો ખુબ જ વિનાશક હોય છે. પૃથ્વી પર વધતા જતા પ્રદુષણને કારણે ઓઝોન વાયુના સ્તરમા એક નાનકડુ ગાબડુ પડેલુ છે. અને પૃથ્વી પરના પ્રદુષણને કારણે તે ગાબડુ દિવસે ને દિવસે મોટુ થાતુ જાઈ છે. જેને કારણે સુર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાઈ છે..આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં "ગ્રિનહાઉસ ઈફેક્ટ" કહેવામા આવે છે.જે ઘટના તમે નીચેની તસવીરમાં જોઈ શકો છો.
‘ગ્રિનહાઉસ ઈફેક્ટ’ના કારણે પૃથ્વીનુ તાપમાન સતત વધતુ જાઈ છે. જેને કારણે ધ્રુવ પ્રદેશના બરફના મેદાનો અને પર્વતો પિગળી રહ્યા છે. એક વૈજ્ઞાનિક તારણ મુજબ ગ્લેશિયર(બરફના પર્વત) આશરે દર વર્ષે ૧૧ કિ.મી જેટલા પીગળે છે.અને તેનુ પાણી સમુદ્રમાં સમાઈ છે.જેના કારણે સમુદ્રના પાણીનુ સ્તર ઉંચુ આવે છે.આ ઘટનાને "ગ્લોબલ વોર્મિગ" કહેવામાં આવે છે.IPCC ના એક રીપોર્ટ મુજબ સમુદ્રની સપાટી દર વર્ષે આશરે ૦.૯૦ સેન્ટીમીટર જેટલી ઊંચી આવે છે.તેની અસર આજે ઘણા ટાપુ પર દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિગ આજે બ્રેકિંગ ન્યુઝ બની ગયુ છે.જો સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયાના ન્યુયોર્ક,સીડની,લંડન,મુંબઈ જેવા મહાનગરો સમુદ્રમાં સમાઈ જાશે.વૈજ્ઞાનિક તારણૉ મુજબ સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયા નો ૧૦% ભાગ સમુદ્રમાં સમાઈ જાશે.

વધતા જતા પૃથ્વીના તાપમાનનો NASA દ્વારા સર્વે.નીચેની તસવીરમાં જોઈ શકાય છે.
ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે પર્યાવરણનો વિનાશ અને વધતુ જતુ પૃથ્વી પરનું પ્રદુષણ.
માલદિવ ૮૫ જેટલા નાના-મોટા ટાપુઓનો દેશ છે. ગ્લોબલ વોર્મિગના કારણે સૌ પ્રથમ માલદિવ સમુદ્રમાં ડુબી જશે.જેથી માલદિવ સરકાર દ્વારા ગાંધીગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.દુનિયાને ગ્લોબલ વોર્મિગ સામે આગાહ કરવામાં આવી હતી.માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિરે તેના ૧૪ કેબીનેટના મંત્રી સાથે સમુદ્રમાં કેબીનેટની મિટિંગનું આયોજન કર્યુ હતુ.સમુદ્રમાં જ તેઓ એક બીજા સાથે ઈશારાથી વાતચિત કરતા હતા અને રાષ્ટ્રપતિ દ્વારા એક ડોક્યુમેંટમા હસ્તાક્ષર પણ કરેલુ.મને ખબર છે કે ઘણા લોકો આ ઘટનાને હાસ્ય માને છે.પણ ખરેખર આ ગંભિર મુદ્દો છે.{{It's not a jock}}
દુનિયાને ગાંધીગીરીથી સાવચેત કરવાની કોશિશ હતી.
સંજોગની વાતતો એ છે કે આ આયોજન દિવાળીના દિવસોમાં જ કરવામાં આવ્યુ હતુ.
તેનો વિડીયો અહી જોઈ શકો છો.



બુધવાર, ઑક્ટોબર 07, 2009

છોડમાં જય રણછોડ...!



કરો વૃક્ષ વાવવાનો સંક્લ્પ,
એનો બીજો ન કોઇ વિક્લ્પ...છોડમાં જય રણછોડ...!

જાગ રે માનવી જાગ,
સરકાર કરે પ્રયત્ન અથાગ...છોડમાં જય રણછોડ...!

અમુલ્ય વૃક્ષો છે.સાગ,
બનાવશે જીવનને બાગ...છોડમાં જય રણછોડ...!

વૃક્ષોની લાવો જન જાગૃતિ,
આપણે છે.વૃક્ષોની પ્રતિકૃતિ...છોડમાં જય રણછોડ...!

ન થવા દેશે ક્દી પતન,
ઉગાડો વૃક્ષો સૌના વતન...છોડમાં જય રણછોડ...!

વૃક્ષોનું ન કરો છેદન,
થશે પર્યાવરણનું નિકંદન...છોડમાં જય રણછોડ...!

એ તો છે.કુદરતની દેન,
તેથી જ તો છે.વૃક્ષો સાચા ફ્રેન્ડ...છોડમાં જય રણછોડ...!

વૃક્ષો છે.આભુષણ,
દૂર કરે છે.પ્રદુષણ...છોડમાં જય રણછોડ...!

સિમેન્ટના જંગલો છોડો,
વૃક્ષોમાં તો છે.રણછોડ...છોડમાં જય રણછોડ...!
________



વૃક્ષ




વિચારો

ધોમ ધખતા તડકામાં હું ઊભો છું

વૃક્ષ બની

ફળ ને ફલ આપ્યા

છાયડો આપ્યો

ને મારી જાત આપી

તોય તે મારી ગરદન કાપી.


કવિશ્રી-ભરત સુચક